રાજકોટ ખાતે જેલમાંથી પેરોલ પર છુટી નાશી ગયેલો કેદી ભાવનગર થી ઝડપાયો

રાજકોટ ,

ભાવનગરના સિહોરના ખૂનના ગુનામાં પાકા કેદી નં.૪૪૧૪૬ રામાભાઇ પાંચાભાઇ આલગોતર (ઉ.૨૫) રહે. ભવનાથ મંદિર સિહોર, જી.ભાવનગર વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૦ની સાલમાં પકા કામના કૈદી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો. અને તે દરમ્યાન આરોપીને ગઇ તા.૧૯/૪/૨૦૨૦ થી તા.૧૧/૬/૨૦૨૦ દિન-૪૨ ની રજા મંજુર કરેલી અને પેરોલ રજા ઉપર રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મુકત કરવામાં આવેલ અને તા.૧૧/૬/૨૦૨૦ ના રજા પુરી થઈ જેલમાં પરત થવાનું હતું. પરંતુ મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ. ભાવનગર, L.C.B સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો ભાવનગર ના શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલનો પકા કામનો આરોપી રામાભાઇ પાંચાભાઇ આલગોતર ઉ.૪૨ રહે.સિહોર જી.ભાવનગર વાળો શિહોર એસ.ટી બસ સ્ટેશન પાસે ઉભો હોવાની બાતમી મળતા પાકા કેદી નં.૪૪૧૪૬ રામાભાઇ પાંચાભાઇ આલગોતરને પકડી લઇ તેની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment